Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૯: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશ્વ વસ્તી દિવસ'ની ઉજવણી કરવામાં આવશે.
તા. ૧૧ જુલાઈથી ૧૮ જુલાઈ દરમિયાન રાજ્યમાં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય' થીમ હેઠળ ઝુંબેશ કરાશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો નૂપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ દરેક સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓની માહિતી અને સેવાઓ આપવામાં આવશે.
ડો. નૂપુર પ્રસાદે જણાવ્યું હતું કે, આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે. જન જાગૃતિ માટે રેલી, જુથચર્ચા, ગુરૂશિબિર, લઘુશિબિર, બેનર, પત્રિકા તેમજ સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરીસંવાદો, ઘરે-ઘરે મુલાકાતો લઈ યોગ્ય સગર્ભાવસ્થાના અંતરના ફાયદાઓ વિશે પરિવારોને માહિતગાર કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમજ તાલુકા કક્ષાએ સ્ત્રી નસબંધી કેમ્પ અને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ જેવી કે આંકડી, ગર્ભ નિરોધક ઈન્જેકશન, ગોળીઓ, નિરોધ, ઈમરજન્સી પીલ્સની સેવાઓ ઉપલબ્ધ કરાશે તેથી દરેક નાગરિક આ સેવાઓનું વિના મૂલ્યે લાભ લઈ શકશે.
ઉપરોક્ત ઝુંબેશમાં વિવિધ વિભાગો તથા સામાજિક સંસ્થાઓને વિશ્વ વસ્તી દિવસ અન્વયે બહોળા પ્રમાણમાં જનજાગૃતિ આવે તે માટે કાર્યરત થવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial