Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ માર્ગદર્શન અપાયું:
જામનગર તા. ૯: જામનગરના શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર ટ્રસ્ટમાં જામનગરમાં સૌપ્રથમ ડિસ્લેકસીયા કાઉન્સીલીંગ એન્ડ નેચરોથેરાપી સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે.
ડિસ્લેકસીયા એટલે બાળકોને વાંચવા, લખવા અને યાદ રાખવામાં પડતી મુશ્કેલી. આવા બાળકો બુદ્ધિશાળી હોવા છતાં અભ્યાસમાં રસ ધરાવી શકતા નથી. આ પ્રકારના બાળકોને સહાનુભૂતિ, કાઉન્સીલીંગ અને નેચરોપેથીથી અભ્યાસ તરફ ધ્યાન કેન્દ્રીત કરાવવાનો આ સેન્ટરનો મુખ્ય ઉદૃેશ્ય છે. દીપ પ્રાગટ્યથી સેન્ટરનો આરંભ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગરના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કરસનભાઈ ડાંગર, વિદ્યોતેજક મંડળના વાઈસ પ્રેસિડેન્ટ વીર ભાનુભાઈ દોશી, ઈન્ડિયન રેડક્રોસ ચેરમેન ડો. અવિનાશ ભટ્ટ, વાઈસ ચેરપર્સન દિપાબેન સોની, ડો. વિહારી છાંટબાર તેમજ સેન્ટરના પ્રમુખ ડો. જયેશભાઈ જોષી, ટ્રસ્ટીઓ ડો. કલોલા, શાંતિભાઈ બાવરીયા, રાજેન્દ્ર વ્યાસ, રવિન્દ્ર સરવૈયા, પાર્થ પંડયા એ માર્ગદર્શનરૂપે પ્રવચન કર્યું હતું. આ કાર્યના સંચાલક સત્યસાઈ વિદ્યાલયના નિવૃત્ત શિક્ષીકા પ્રજ્ઞાબેન ત્રિવેદી બાળકોને મદદરૂપ થવા તેઓએ નિવૃત્તિ પછી જામનગર આયુ. યુનિ.માંથી યોગ અને નેચરોપેથીનો અભ્યાસ કર્યો પછી નોઈડા ચાઈલ્ડ સાઈકોલોજી અને પેરેનટીગ કોચીંગનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ડિસ્લેકસીયા બાળકો માટે કાર્યરત છે. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ડો. શીતલ ખેતીયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial