Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાં લોહીની ઉલ્ટી કરી રહેલા પરપ્રાંતિય શ્રમિકનું સારવારમાં નિપજ્યું મૃત્યુ

કલ્યાણપુરના મેઘપર ટીટોડીમાં કૂવામાં યુવાન ખાબક્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના દરેડ જીઆઈડીસીમાં ગઈકાલે લોહીની ઉલ્ટી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિકને સારવારમાં લઈ જવાયા પછી તેમના પર કાળનો પંજો પડ્યો છે. કલ્યાણપુરના મેઘપર ટીટોડી ગામમાં કોઈ રીતે ખેતર સ્થિત કૂવામાં પડી જતાં એક યુવાનનું મૃત્યુ થયું છે.

જામનગર નજીકના દરેડમાં આવેલા જીઆઈડીસી સ્થિત રાજહંસ સર્કલ પાસે ગઈકાલે બપોરે પરપ્રાંતના વતની આદેશરામ પ્રકાશપાલ (ઉ.વ.૪૦) નામના શ્રમિક લોહીની ઉલટી કરતા જોવા મળતા ત્યાં ચાની દુકાન ચલાવતા ભાવિક મયુરભાઈ કનખરાએ ૧૦૮ મારફતે તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આદેશરામનું મૃત્યુ નિપજ્યું છે. ભાવિક કનખરાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા મૂળ પટેલકાના વતની જીજ્ઞેશભાઈ હાજાભાઈ લગારીયા (ઉ.વ.ર૮) નામના યુવાન ગયા સોમવારે સવારે ભાગમાં રાખેલી વાડીએ ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા ત્યારે કોઈ રીતે કૂવામાં પડી ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયાનું જગુભાઈ સીદાભાઈ લગારીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh