Advertisement
Author: નોબત સમાચાર

મિલકત ખરીદવાના અગ્રહક્ક બાબતે વચગાળાનો મનાઈહુકમ ફરમાવતી કોર્ટ

સહમાલિકોને હિસ્સો વેચાણ લેવા મળે છે અગ્રહક્કઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫ઃ જામનગરની એક ખેતીની જમીન અંગે અગ્ર હક્ક બાબતે અદાલતે વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે અને સહમાલિકોને જમીનનો હિસ્સો વેચાણ લેવા અગ્ર હક્ક મળે છે તે સિદ્ધાંતને ધ્યાનમાં રાખ્યો છે.

જામનગરમાં રે.સ.નં. ૯૫૪વાળી ખેતીની જમીનમાં નઝીમ મહંમદ માડકીયા, રીઝવાન હનીફ મકવાણા, ગની ઈસ્માઈલ મકવાણા સહિત નવના નામ રેવન્યુ રેકર્ડ પર છે અન્ય વારસો પણ તેના દાવેદાર છે. સંયુક્ત કુટુંબની આ જમીનમાં વિભાજન થાય તે પહેલાં ગની ઈસ્માઈલે પોતાનો અવિભાજય હિસ્સો નિશાબેન જસ્મીન ફળદુને વેચાણ કર્યાે હતો.

ઉપરોક્ત જમીન અંગે વેચાણ દસ્તાવેજ કરાવનાર નિશાબેન ફળદુને દસ્તાવેજના આધારે પ્રવેશ મળી શકે નહીં તેવી રજૂઆત સાથે વેચાણ દસ્તાવેજ રદ્દ કરાવવા અને વચગાળાનો મનાઈહુકમ આપવા અદાલતમાં દાવો કરાયો હતો. તે દાવા અન્વયે અદાલતે મિલકતમાં સહમાલિકોને જમીનનો હિસ્સો વેચાણ લેવા અગ્ર હક્ક મળે છે તે સિદ્ધાંતને ધ્યાને લઈ વાદીઓની તરફેણમાં વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૂ, વી.એસ. ખીમાણીયા, જે.એ. નંદાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh