Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કૃષિમંત્રીના મતવિસ્તારમાં જ ખેડૂતો નારાજ!
જામનગર તા. ૧૩: રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના મત વિસ્તાર એવા જામનગર તાલુકાના ધુતારપુર ગામની ચોકડી પાસે ખેડૂતોએ ડુંગળીનો પાક રસ્તા ઉપર ફેંકીદઈ પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ગત્ શનિવારે સાંજે ધુતારપુર ચોકડી પાસે ધુતારપુર, ધુડશિયા, સુમરી, ખારાવેઢા, અમરાપર, બજરંગપુર, ભરતપુર, વિજયપુર, મોડપર, ઠેબા, થાવરિયા, ગાયત્રીનગર, વરણા, જગા, નંદપુર, મેડી, પસાયા, બેરાજા, સપડા, વિજરખી વિગેરે ૧૯ ગામના ખેડૂતો એકત્ર થયા હતાં, અને ડુંગળીના પોષણક્ષમ ભાવના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોને એક કિલો ડુંગળીના સાડાસાત રૂ.પિયા મળે છે. તેના ઉત્પાદન માટેની પડતર કિંમત પણ વધુ થાય છે.
આથી પોષણક્ષમ ભાવો મળે તેવી માગણી ખેડૂતોએ કરી હતી અને ડુંગળીનો જથ્થો જાહેર રોડ ઉપર ફેંકી દીધો હતો. આજ આગેવાનોએ તાજેતરમાં દારૂ.ના હાટડા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial