Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવનિયુકત રાજયમંત્રી રિવાબા જાડેજાનો સન્માન સમારોહ

ક્રિકેટ બંગલામાં ભવ્ય સ્વાગતઃ વિશ્વકર્મા બાગ સુધી વિશાળ બાઈક રેલીઃ ઠેર-ઠેર સ્વાગતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, કે જેઓને તાજેતરમાં રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેઓએ મંત્રી પદ સંભાળ્યા પછી જામનગર શહેરમાં નવા વર્ષના સ્નેહમિલન સહિતનો સત્કાર સમારોહ ગાંધીનગર મેઈન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં યોજાયો હતો.

જેમાં ઉપસ્થિત રહેલા સંતો-મહંતોએ આશિર્વચન પાઠવ્યા હતા, ઉપરાંત શહેર ભાજપના અગ્રણીઓ તેમજ વેપારીઓ અને નગરના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી નવનિયુકત મહિલા મંત્રીનું અભિવાદન કર્યું હતું. તે પહેલા ક્રિકેટ બંગલામાં જામનગર ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસો.ના સભ્યો અને ક્રિકેટ ખેલાડીઓ દ્વારા મહિલા મંત્રીનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતું, ત્યાંથી રાજપૂત સમાજ પાસેથી ગાંધીનગર મેઈન રોડ સુધીની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં પણ અનેક અગ્રણીઓ અને શહેર ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.

૭૮-જામનગર વિધાનસભા મતવિસ્તારના મહિલા અગ્રણીઓ, ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં વિશ્વકર્મા બાગમાં ઉમટી પડયા હતા અને બેન્ડવાજા-પુષ્પ વર્ષા સાથે રિવાબા જાડેજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશ્વકર્મા બાગમાં યોજાયેલા સમારોહમાં ૫ નવતનપુરી ધામના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, સ્વામી નારાયણ મંદિરના પૂ. ચર્તુભૂજદાસજી સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જુથના નેતા આશિષભાઈ જોશી, ભાજપ અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, શહેરભાજપ સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રમુખો, કાર્યકરો, મહિલા આગેવાનો, રાજપૂત સમાજના અગ્રણીઓ, વેપારીઓ, કોર્પોરેટરો એ મંત્રી રિવાબા જાડેજાનું બહુમાન કરી શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે મંત્રી રિવાબા જાડેજાએ સૌના સાથ સહકાર અને સન્માન બદલ આભારની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ સમિતી મારા વિસ્તારના તમામ મતદારોનું સન્માન છે. મારા કાર્યક્ષેત્રમાં સતત કાર્યરત અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નશીલ રહીશ તેવી ખાત્રી આપી હતી. સમગ્ર સમારોહનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા તથા મેરામણભાઈ ભાટુએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh