Advertisement
Author: નોબત સમાચાર

એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં યુરોલોજી વિભાગ દ્વારા 'સીએમઈ' કાર્યક્રમ યોજાયો

યુરોલિથિયાસિસ-ઓબ્સ્ટ્રકિટવ એનુરિયા અંગે માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૬: જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં યુરોલોજી વિભાગ દ્વારા જનરલ સર્જરી રેસિડન્ટ ડોક્ટરો તથા તબીબો માટે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ (સીએમઈ)નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ ના યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન યુરોલોજી વિભાગના પ્રોફેસર ડો.ધીરેન બુચ તથા મદદનીશ પ્રાધ્યાપક ડો. કુશલ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું. સતત મેડિકલ એજ્યુકેશનના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરો, વરિષ્ઠ તબીબો તેમજ જામનગર સર્જન્સ એસોસિએશનના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સીએમઈ દરમિયાન તબીબી ક્ષેત્રના મહત્વના વિષયો જેવા કે 'ેંઇર્ંન્ૈં્ઁૈંછજીૈંજી' અને 'ર્ંમ્જી્ઇેંઝ્ર્ૈંફઈ છદ્ગેંઇૈંછ' પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. આ વિષયો પર ડો. મીત બાબરિયા, ડો. સતીશ તથા ડો. પ્રિયા સિંહ દ્વારા ઉપસ્થિત તબીબોને વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન આપ્યું હતું.  કાર્યક્રમમાં સર્જરી વિભાગના વડાશ્રી તેમજ અન્ય તજજ્ઞોએ ઉપસ્થિત રહીને યુવા તબીબોના જ્ઞાનવર્ધન માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રકારના આયોજનથી રેસિડન્ટ ડોક્ટરોને આધુનિક સારવાર પદ્ધતિઓ સમજવામાં અને દર્દીઓની વધુ સારી સેવા કરવામાં મદદ મળશે તેમ વિભાગ દ્વારા જણાવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh