Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે
જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના નવાગામમાં શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થી ભવ્ય ધાર્મિક આયોજનરૂપે શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ તથા રી રામચરિતમાનસ રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ તા. ૯-૪-ર૦ર૬ (ચૈત્ર વદ ૭) ના શુભ દિવસે પ્રારંભ પામ્યો છે અને તા. ૧૭-૪-ર૦ર૪ (ચૈત્ર વદ ૧પ) ના પુર્ણાહૂતિ સાથે સમાપ્ત થશે.
આ કથાનું સંગીતમય રસપાન રાજકોટની પૂ. દીદી શ્રી પૂનમબા (મા) દ્વારા કરાવવામાં આવી રહ્યું છે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદનો અમૂલ્ય અનુભવ કરાવશે.
કથાના રોજિંદા કાર્યક્રમ મુજબ બપોરે ૩ વાગ્યાથી કથાનું આયોજન રાખવામાં આવેલ છે તેમજ દરરોજ સાંજે ૭-૩૦ વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન છે. આ કથાના અંતર્ગત વિવિધ પ્રસંગો જેમ કે શિવ વિવાહ, રામ જનમ, રામ વિવાહ, રામ વનવાસ, સેતુબંધ અને રામ રાજ્યાભિષેક જેવા પાવન પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે.
તા. ૯-૪-ર૦ર૬ ના બપોરે ૧ વાગ્યે ગંભીરસિંહ દિપસિંહ સોઢા પરિવારના નીવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સંત-મહંતો તથા આગેવાનોની પધારમણી રહેશે, જેમં મહંત શ્રી અમરગીરીબાપુ, કલ્યાણનાથ બાપુચ શિવનાથ બાપુ સહિત અનેક પૂ. સંતો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.
આ આયોજન બાપા સીતારામ યુવા મંડળ, નવાગામ-જામનગર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ શ્રીમતી મીનાબા રણજીતસિંહ ઝાલા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial