Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષામાંથી બાળક પડી જતાં બોલાચાલી પછી યુવાન તથા તેના પરિવાર પર હુમલો

ચાર શખ્સે લાકડી-પાઈપથી માર મારી હડધૂત કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગરના ઠેબા બાયપાસ પાસે રહેતા એક યુવાનનો પુત્ર રિક્ષામાંથી પડી ગયા પછી રિક્ષાચાલક અને તે યુવાન વચ્ચે થયેલી બોલાચાલી વચ્ચે ગુરૂવારે રાત્રે ચાર શખ્સે આ યુવાનના ઘેર જઈ તેને ધમારી નાખ્યાની અને વચ્ચે પડનાર વ્યક્તિઓને પણ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સીએનજી પંપ પાછળ વસવાટ કરતા કેશુભાઈ ખીમજીભાઈ વાઘેલા નામના યુવાનનો પુત્ર શ્લોક થોડા દિવસ પહેલાં વાલાભાઈ ભરવાડની રિક્ષામાં શાળાએ જતો હતો ત્યારે રિક્ષામાંથી પડી ગયો હતો. આ બાબતે કેશુભાઈ તથા વાલા ખેતાભાઈ અને તેના પાર્ટનર રજનીકાંત મકવાણા ઉર્ફે રાજ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે કેશુભાઈએ ગાળો ભાંડી હતી.

આ બાબતનો ખાર રાખી રજનીકાંતે ફોન કરીને કેશુભાઈના પત્નીને ધમકી આપી હતી. તે પછી ગુરૂવારે વાલા ખેતાભાઈ, રજનીકાંત, બાબા ખેતાભાઈ, રવિ દિનેશભાઈ મકવાણા નામના ચાર શખ્સે લાકડી, પાઈપ સાથે ધસી આવી કેશુભાઈને ઘરની બહાર બોલાવી હુમલો કરી માર મારવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. વચ્ચે પડનાર કેશુભાઈના ભાઈ તથા મીત્રને પણ ધોકાવી નાખી તેમના મિત્રને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. વચ્ચે પડેલા માતાને પણ માર મારવામાં આવ્યો હતો. પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh