Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તા. ૨૪: ધ્રોલમાં અતિ કુપોષિત બાળકો માટે આયુર્વેદિક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા અતિ કુપોષિત બાળકોને આંગણવાડીમાં હાજર રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ. ઠોરિયા, અને ધ્રોલ સેજાના મુખ્ય સેવિકા ધામેચા પુજાબેનની હાજરીમાં આયુર્વેદિક ડો. સોનગરા દ્વારા ૩૩ બાળકોના વજન અને ઊંચાઈનું માપ કરવામાં આવ્યું હતું. તેમજ ૧૨ સગર્ભા અને ધાત્રી માતાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડો. સોનગરા દ્વારા બાળકોને શરદી માટે આયુર્વેદિક કફ સિરપ તથા કૃમિનાશક દવા આપવામાં આવી હતી. અને વાલીઓને બાળકોના પોષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે ધ્રોલ આંગણવાડીના વર્કર બહેનો અને આઈ.સી.ડી.એસ.ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial