Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદસજા

રૂ. ૧૦૫૪૮૬નો દંડ ભરવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરની એક સોસાયટી દ્વારા એક સભાસદ સામે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ સોસાયટીના સભાસદ હસમુખ દેવસુર ખરાએ સોસાયટી પાસેથી લોન લીધી હતી. તે ભરપાઈ કરવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો.

તેની સોસાયટીના વકીલ દ્વારા નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં લેણું ભરપાઈ ન કરાતા નેગો. ઈન્સ્ટ્રુ એક્ટ-૧૩૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાને રાખી આરોપીને તક્સીરવાન ઠરાવી અદાલતે એક વર્ષની કેદ તેમજ  રૂ. ૧,૦૫,૪૮૬નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh