Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના
જામનગર તા. ૩૦: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલીએ શિક્ષણ વિભાગમાં ચર્ચા જગાવી છે. બીજી તરફ આ શિક્ષકોએ શાસનાધિકારીને બે દિવસમાં શિક્ષાત્મક કાર્યવાહી રદ્ નહીં કરવામાં આવે તો કોર્ટમાં ન્યાય માંગવામાં આવશે તેવી ચિમકી આપી છે.
જામનગરની શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકો શૈલેષભાઈ સીમરિયા, દિપ્તિબેન પરમાર અને પ્રીતિબેન ડાભીની શિક્ષાત્મક પગલાં સામે રાતોરાત બદલી કરી નાખવામાં આવતા શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે.
આ ત્રણેય શિક્ષકોએ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવી પોતાની સામે લેવાયેલ શિક્ષાત્મક પગલાં અને બદલીના પગલાં અંગે પૂર્નવિચાર કરવો જોઈએ અને જો બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો લડત આપવામાં આવશે અને જરૂર પડ્યે હાઈકોર્ટમાં કેસ પણ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.
આ બે દિવસની મુદત આજે પૂર્ણ થઈ છે, ત્યારે હવે આ પ્રકરણમાં શું થાય છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial