Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાઢુભાઈ તથા તેના પુત્રોએ કરી હતી હત્યાઃ
જામનગર તા. ૨: જામનગરના ગોકુલનગર પાણાખાણમાં રવિવારે એક યુવાનની થયેલી હત્યાના ગુન્હામાં સંડોવાયેલા પિતા-પુત્ર તથા કાયદાથી સંઘર્ષિત કિશોરને પોલીસે પકડી પાડ્યા છે. રિસામણે ગયેલી પત્નીને તેડી લાવવાનું કહી આ યુવાનને છરી-પાઈપથી પતાવી દેવામાં આવ્યો હતો.
જામનગરના ગોકુલનગર પાણાખાણમાં રહેતા રોહિત દિલાભાઈ પરમાર નામના યુવાનના પત્ની તેજલબેન કોઈ કારણથી વિખવાદ થતાં થોડા સમયથી પિયર ચાલ્યા ગયા હતા. તે પછી તેજલબેનને તેડી લાવવા માટે રોહિત સાથે તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પરમાર વાતચીત કરતા હતા.
તે દરમિયાન મેટોડાથી તેજલબેનને તેડી લાવવાનું કહેવા માટે રવિવારે નરેશ તુલસીભાઈ અને તેના પુત્ર સુજલ તથા નાના પુત્ર (કાયદાથી સંઘર્ષિત કિશોર) પાણાખાણમાં રોહીતના ઘેર આવ્યા હતા. જ્યાં બોલાચાલી થયા પછી ત્રણેય વ્યક્તિએ છરી-પાઈપથી હુમલો કરી માર મારતા ગંભીર ઈજા પામેલા રોહિતભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતકના પિતા દિલાભાઈ વીરાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે શરૂ કરેલી તપાસમાં ગઈકાલે નરેશ તુલસીભાઈ, તેનો પુત્ર સુજલ તથા કાયદાથી સંઘર્ષિત કિશોર ઝડપાઈ ગયા છે. ત્રણેય વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial