Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬
જામનગર તા. ર૭: ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૧-૧-ર૦ર૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં 'મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬' જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી આયોગના તા. ૧૧-૧ર-ર૦રપ ના પત્રથી જાહેર કરાયેલા સુધારા મુજબ હવે મતદારો પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ આગામી તા. ૧૮-૧-ર૦ર૬ સુધી રજૂ કરી શકશે.
આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નંબર ૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર ૭ તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નંબર ૮ ભરી શકશે. આ ઉપરાંત જે મતદારોએ પોતાના આધાર-પુરાવા રજૂ કરવાના બાકી હોય તેઓ પણ આ સુધારાણા કાર્યક્રમનો લાભ લઈ શકશે.
નાગરિકોની સરળતા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલ ર૮-૧ર-ર૦રપ, રવિવારના તમામ મતદાન મથકો પર 'ખાસ ઝુંબેશ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને દિવસે સવારે ૧૦ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. લાયકાત ધરાવતા તમામ નાગરિકો અને મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર-પુરાવા રજૂ કરે તેવો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial