Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શશિ થરૂર પછી હવે
નવી દિલ્હીઃ તા. ૨૯: શશિ થરૂર પછી વધુ એક દિગ્ગજ નેતા કોંગેસથી નારાજ છે. મનિષ તિવારીએ સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતા રાજકારણ ગરમાયું છે.
ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં કોંગ્રેસ તરફથી સામેલ થતા અટકાવવામાં આવતા સાંસદ શશિ થરૂર બાદ મનિષ તિવારીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે આ ચર્ચામાં એવા નેતાઓને ભાગ લેતા અટકાવ્યા હતા, જેઓ વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જાગૃતિ ફેલાવનારા પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. પરંતુ સુત્રો અનુસાર, મનિષ તિવારી આ ચર્ચામાં ભાગ લેવા માગતા હતા.
પૂર્વ કેન્દ્રિય મંત્રી અને સાંસદ મનિષ તિવારીએ સોશિયલ મીડિયા એકસ પર પૂરબ ઔર પશ્ચિમ (૧૯૭૦)નું પ્રચલિત દેશભક્તિ ગીત 'હૈ પ્રિત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલાનું ભારત કી બાત સુનાતા હું' પોસ્ટ કર્યું હતું.
ઉલ્લેખનિય છે, આ પ્રતિનિધિમંડળમાં તિરૂવનંતપુરમના સાંસદ શશિ થરૂર, ચંદીગઢ સાંસદ મનિષ તિવારી, ફતેહગઢ સાહિબના અમરસિંહ સામેલ હતા. આ પહેલા શશિ થરૂરે પણ કોંગ્રેસની પાર્ટીલાઈનથી ભિન્ન અભિપ્રાયો આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial