Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારે પરોઠના પગલા ભરવા પડ્યા
જામનગર તા. ૨૯: ગુજરાત સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાનો વિવાદાસ્પદ આદેશ તો રદ કરી દીધો, તેથી હવે ખાલી જગ્યાઓ તત્કાળ ભરવા માંગણી ઉઠી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો વિવાદિત નિર્ણય આખરે રદ કરાયો, તેને આવકારીને હવે સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોય તત્કાળ રેગ્યુલર કરવા માંગ ઉઠી છે. રાજયના શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો ઉતાવળિયો નિર્ણય લોધો હતો. વિભાગના આ નિર્ણયથી ભારે હોબાળો થયો હતો. શિક્ષણ સંઘો દ્વારા પણ શિક્ષણ વિભાગે લીધેલા આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી.
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા પછી પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત શિક્ષકોને કામગીરી સોંપવાના નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતના શિક્ષણ વિભાગમાં મોટાપાયે શિક્ષકોની ખાલી જગ્યા છે. આ ઉપરાંત ઘણાં શિક્ષકો નિવૃત્ત થયા છે તેમજ હજુ પણ ઘણા શિક્ષકો ટૂંક સમયમાં નિવૃત્ત થશે. શિક્ષકોની મોટે પાયે ઘટ રહેશે તો ક્યારે ભણશે ગુજરાત ? આથી શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે હાલ ઉમેદવારોમાં માંગ ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial