Advertisement
Author: નોબત સમાચાર

શેરી-રસ્તા પર ગંદા પાણી તથા કચરાના ઢગલાના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટરની રજૂઆત

જોડીયા ભુંગા વિસ્તારમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના જોડીયા ભુંગા વિસ્તારમાં ચારે તરફ શેરી-રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફેલાયેલા રહે છે. તેમજ કચરાના ઢગલા ખડકાયા છે. આ વિસ્તારના રહેવાસીઓ આ સમસ્યાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર હુસેનાબેન સંઘાર, અનવર સંઘારની આગેવાની હેઠળ લતાવાસીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ વોર્ડમાં હાલ કોલેરાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે મનપાના જવાબદાર અધિકારીઓ નિંભર બનીને કોઈ કાર્યવાહી કરતા નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh