Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પુલોની મજબુતાઈ અંગે સમીક્ષાઃ નબળા પુલ પરના રૃટ ડાયવર્ટ કરવા

જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨ઃ , જામનગર જિલ્લામાં પુલ, મેજર અને માઇનોર બ્રિજ સહિતના તમામ પુલોની મજબૂતાઈ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ભવિષ્યમાં કોઈ અકસ્માત કે દુર્ઘટના ન બને તે માટે કલેક્ટરે નબળા પુલ પરના રૃટ ડાયવર્ટ કરવા, ઓવરલોડ વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરવા, જરૃરી બેરીયર મુકવા અને અન્ય સંબંધિત કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવા અંગે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કલેક્ટરે અધિકારીઓને આવા બાંધકામોની રૃબરૃ મુલાકાત લઈ તેની સ્થિતિની સમીક્ષા કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, જી. એસ. આર.ડી.સી., સિંચાઈ વિભાગ, આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh