Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈસ્કોન દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

ભજન-કીર્તન, મહાઆરતી સહિતનું આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર ઈસ્કોન દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૧૬ અને તા. ૧૭ ના ઈસ્કોન મંદિર, જામનગર-રાજકોટ હાઈ-વે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૬/૮ ના સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતી, ૭-૧પ વાગ્યે શ્રૃંગાર દર્શન અને ગુરુપૂજા, ૮ વાગ્યે શ્રીકૃષ્ણ કથા, સાંજે ૬ વાગ્યે કીર્તન, ૬-૪૦ વાગ્યે સંધ્યા આરતી, ૭-રપ વાગ્યે જન્માષ્ટમી પ્રવચન, રાત્રે ૮-૩૦ વાગ્યે નાટક, રાત્રે ૧૦ વાગ્યે ભજન, ૧૧ વાગ્યે ભોગ અર્પણ, ૧ર વાગ્યે મહાઆરતી, રાત્રે ૧ વાગ્યા સુધી દર્શન રાખવામાં આવ્યા છે. તેમજ તમામ દર્શનાર્થીઓને ફરાળી પ્રસાદ આપવામાં આવશે.

તા. ૧૭/૮ ને રવિવારે સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતી, ૭-૧પ વાગ્યે શ્રૃંગાર દર્શન અને ગુરુપૂજા, ૮ વાગ્યે શ્રીલ પ્રભુપાદના ભક્તો દ્વારા ગુણગાન કરવામાં આવશે તેમ ઈસ્કોન પ્રમુખ મુરલીધરદાસ પ્રભુજી (મો. ૯૪૨૮૯ ૦૧૮૯૬)એ ભક્તોને દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh