Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસ.ટી. વિભાગ દ્વારા
જામનગર તા. ૧રઃ આગામી જન્માષ્ટમીના તહેવારમાં મુસાફરી-ધસારાને પહોંચી વળવા માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવનાર છે.
જન્માષ્ટમીના દિવસે દેશ-વિદેશમાંથી લોકો દ્વારકાધીશ ભગવાનના દર્શને આવતા હોવાથી મુસાફરી-ધસારો વધુ રહે છે. આથી મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવનાર છે.
જેમાં દ્વારકાથી હર્ષદ (ભાડું રૂ. ૧૩૦), દ્વારકાથી જામનગર (રૂ. ૧૯૭), દ્વારકાથી રાજકોટ (રૂ. ર૬૯), દ્વારકાથી પોરબંદર (રૂ. ૧૬૭), દ્વારકાથી સોમનાથ (રૂ. ર૭૯) અને દ્વારકાથી જૂનાગઢ (રૂ. રપ૧) નો સમાવેશ થાય છે. જો પ૧ કે તેથી વધુ મુસાફરો એકસાથે બુકીંગ કરાવશે તો તેમને વધારાની બસ ફાળવવામાં આવશે.
આ વધારાની બસ સેવા તારીખ ૧પ, ૧૬ અને તા. ૧૭ ઓગસ્ટના મળશે જેનો લાભ લેવા જામનગર એસ.ટી. વિભાગના અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial