Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા
ધ્રોળ તા. રરઃ ધ્રોળ શહેરથી ૧ કિલોમીટર દૂર ભૂચરમોરીનું ઐતિહાસિક મેદાન આવેલું છે. આ સ્થળ પર પ્રતિવર્ષ શ્રાવણ માસની વદ તેરસ, ચૌદસ અને અમાસ એમ ત્રિદિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. ર૩/૮ (અમાસ) સુધી લોકમેળો યોજાશે.
ધ્રોળ નગરપાલિકા સંચાલિત આ લોકમેળાનું ઉદ્ઘાટન તા. રર/૮ ને શુક્રવારે સાંજે ૪ વાગ્યે ધ્રોળ ન.પા.ના કારોબારી અધ્યક્ષ સુરેશજતી રેવાજતી ગોસાઈના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પ્રજાજનોને ઉપસ્થિત રહેવા ધ્રોળ ન.પા.ના પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણિયા, કારોબારી અધ્યક્ષ સુરેશજતી ગોસાઈ, ચિફ ઓફિસર નિકુંજભાઈ વોરા તથા ન.પા.ના સર્વે સભ્યો દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial