Advertisement
Author: નોબત સમાચાર

ખામનાથ પાજના ચેકડેમના દરવાજા બંધ કરવા પૂર્વ કારોબારી ચેરમેનની રજૂઆતને સફળતા

ખંભાળીયાઃ ઘી નદી છલકાઈ જવાની સ્થિતિમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળીયામાં ઘી નદી આવેલી છે. જેના પર ખામનાથ પાસે ૫ાજના ચેકડેમ આવેલો છે. આ ચેકડેમના પાટીયા ખુલ્લા રખાયા હતા જેથી ઉપરવાસમાં પૂર આવે તો ગાંડી વેલ તથા ગંદકી નીકળી જાય, પરંતુ આ વખતે ૨૬ ઈંચ જ વરસાદ પડતા તથા છેલ્લે ઘી ડેમ ઓવરફ્લો થતાં બહુ પૂર ન આવતા નદીમાં ગાંડી વેલ યથાવત હોય દરવાજા બંધ કરાયા ન હતા.

તાજેતરમાં થયેલા માવઠાના ઉપરા ઉપરી પાંચેક દિવસના વરસાદમાં ઉપરવાસમાં પાણીની આવક થતાં ત્રીજી વખત ઘી ડેમ છલકાતા, ફરી ઉપરવાસમાં પૂર આવતા ખંભાળીયાના પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા પાલિકાતંત્રને રજૂઆત કરી પાટીયા બંધ કરવા તથા નદીમાં ભલે ગાંડી વેલ હોય, પણ ભરેલી હોય તો રામનગર તથા રામનાથ વિસ્તારના બોર કૂવા રીચાર્જ થતાં હોય પાણીની સમસ્યા ન થાય. જેથી પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા તુરત જ દરવાજા બંધ કરાતા ઘી નદી હવે છલકાવાની તૈયારીમાં આવી ગઈ છે !

જો કે, ખામનાથના ચેકડેમ ઉપરાંત સ્મશાનની પાસેનો ચેકડેમ પણ પાણીથી ભરપૂર થઈ જતાં આ વિસ્તારની રોનક વધવા સાથે પાણી ભરાતા કૂવા બોર રીચાર્જ થવા લાગ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh