Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરમાં ૩૦૦ કરોડના ભ્રષ્ટાચારના આરોપ સાથે તપાસની માગણી

પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું આવેદનઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૮: દ્વારકા નજીકના અને જયોર્તિર્લિંગમાં જેનો સમાવેશ છે તે નાગેશ્વર મંદિરમાં હાલના હોદ્દેદારો દ્વારા અંદાજે રૂા.૩૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરાયો છે. તેઓની સામે ઘનિષ્ઠ તપાસની માગણી કરતું આવેદન દ્વારકાના પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું છે.

દ્વારકાથી ઓખા તરફ જવાના માર્ગ પર આવેલા નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરમાં દર્શનાર્થીઓ સાથે થતી ગેરવર્તણૂંક ઉપરાંત ધર્મના નામે કરાતી લૂંટ અવારનવાર અખબારોમાં સ્થાન પામે છે. તે દરમિયાન દ્વારકા પંથકના જુદા જુદા ગામના સરપંચોએ નાગેશ્વર મંદિરમાં કરાતા ગેરવહીવટી અંગે દ્વારકાના પ્રાંત અધિકારીને ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

નાગેશ્વર મંદિરના હાલના હોદ્દેદાર-સંચાલકો હરીભારથી તથા ગિરધરભારથી વિરૂદ્ધ તેમના જ ભત્રીજા પરેશભારથી કેશુભારથી ગોસાઈએ રૂા.૩૦૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડયો છે અને મની લોન્ડરીંગ અંગે પણ તપાસ યોજવા માગણી કરાઈ છે. આ વ્યક્તિઓએ હોટલ, જમીન, પ્લોટ, ગાડીઓ ખરીદી ગેરકાયદે સંપત્તિનું સામ્રાજ્ય ખડક્યું છે અને જામનગર, ખંભાળિયા, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં રોકાણ કર્યાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે. આ વ્યક્તિઓ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવા માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh