Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડની ઘરફોડ ચોરીમાં સંડોવાયા પછી ૧૪ વર્ષથી નાસતો ફરતો શખ્સ ઝબ્બે

નામ બદલાવીને મુંબઈમાં વસવાટ કરતો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: કાલાવડના નિકાવા નજીકના જુવાનપર ગામમાં ચૌદ વર્ષ પહેલાં ઘરફોડ ચોરી થઈ હતી. તે ગુન્હામાં સંડોવાયેલો જામનગરનો શખ્સ નાસતો ફરતો હતો. આ મુસ્લિમ શખ્સ હિન્દુ નામ ધારણ કરી આટલા વર્ષાેથી મુંબઈમાં રહેતો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો છે.

કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૧માં ઘરફોડ ચોરીનો એક ગુન્હો નોંધાયો હતો. તેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. શરૂ કરવામાં આવેલી તપાસમાં જામનગરના લાલવાડી આવાસમાં રહેતા ઝુબેર અબ્બાસ સમેજા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી અને ત્યારથી આ આરોપી નાસી ગયો હતો.

ઉપરોક્ત આરોપીની ચાલી રહેલી શોધખોળ દરમિયાન ઝુબેર હાલમાં મુંબઈના મીરા-ભાયંદર રોડ પર દાઈકુલ પાડામાં યોગેશ રોહિદાસ બોરડે નામ ધારણ કરી વસાવટ કરતો હોવાની બાતમી મળતા જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પીએસઆઈ એમ.વી. ભાટીયાની સૂચનાથી મુંબઈ દોડી ગઈ હતી.

આ શખ્સની મીરા-ભાયંદરમાં કાશીગાંવ વિસ્તારમાંથી અટકાયત કરી લેવામાં આવી છે. તેનો કબજો કાલાવડ શહેર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh