Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્વામિનારાયણ મંદિરથી જામખંભાળિયા- બાયપાસનો એક તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ

ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈનની કામગીરી સંદર્ભે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની હદમાં સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર-જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટ નં. ૧ થી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૧૪-૧૦-ર૦રપ થી તા. ૧૩-૧ર-ર૦રપ એટલે કે ર માસ સુધી તમામ વાહનવ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે, જેનો અમલ કરવાનો મ્યુનિ. કમિશનર દ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે.

જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે. સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટ નં. ૧ થી જામખંભાળિયા બાયપાસ સર્કલસુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની ઉત્તર દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh