Advertisement
Author: નોબત સમાચાર

બાઈક આડે શ્વાન ઉતરતા ધરમપુરના બાઈકચાલકનું સારવારમાં થયું મૃત્યુ

ભૂલથી ઝેરી દવાવાળી ડોલમાંથી કોગળો કરી લેતા મહિલાનું મોતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ખંભાળિયાના ધરમપુર ગામના એક પ્રૌઢના બાઈક આડે દસેક દિવસ પહેલાં કુતરૂ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જયારે ભાણવડના જંબુસરમાં ઝેરી દવાવાળી ડોલમાંથી ભૂલથી ડબલુ ભરી કોગળી કરી લેનાર મહિલાનું ઝેરી અસર થયા પછી મૃત્યુ થયું છે.

ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના રહેવાસી જયંતિભાઈ વસરામભાઈ કણઝારીયા (ઉ.વ.૫૧) નામના પ્રૌઢ ગઈ તા.રપની સાંજે પોતાના મોટરસાયકલ પર ભવનાથ મંદિર પાસેથી પસાર થતાં હતા. આ વેળાએ અચાનક જ એક શ્વાન દોડતું આવ્યું હતું તેની સાથે મોટરસાયકલ અથડાઈ પડતા જયંતિભાઈ રોડ પર પછડાયા હતા.

માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર અરવિંદભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે.

ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા રાજીબેન પ્રફુલભાઈ ખુંટી (ઉ.વ.ર૮) નામના મેર પરિણીતા ગઈ તા.૩ની સવારે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ ખેતરમાં ઉભા પાકમાં છાંટવાની ઝેરી દવા જેમાં રાખવામાં આવી હતી તે ડોલમાંથી ડબલુ ભરી કોગળો કરી લેતા તેણીને દવાની ઝેરી અસર થઈ હતી. સારવારમાં ખસેડાયેલા રાજીબેનનું ગઈકાલે મૃત્યુ થયું છે. પતિ પ્રફુલભાઈ અરશીભાઈ ખુંટીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh