Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પોલીસબેડાના પાંચ જમાદારને એએસઆઈ તરીકે આપવામાં આવી બઢતી

અગિયાર પોલીસમેનને પણ મળી બઢતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા પાંચ હે.કો.ને એએસઆઈ તરીકે પ્રમોશન મળ્યા છે. જ્યારે ૧૧ પો.કો.ને હેડ કોન્સ. તરીકે એસપી દ્વારા બઢતી આપવામાં આવી છે.

જામનગર જિલ્લાના પોલીસદળમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કુલ પૈકીના પાંચ કર્મચારીને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં સિટી એ ડિવિઝનના હે.કો. મહિપાલસિંહ એમ. જાડેજા, સિટી સી ડિવિઝનના મહેશભાઈ આર. ડાંગર, પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પી. જાડેજા, એર સિક્યુરિટીના સુરેશરગ પી. ગોસાઈ સહિત પાંચ હે.કો.ને તેઓની હાલની જગ્યા પર જ બઢતી મળી છે.

તે ઉપરાંત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૧૧ કર્મચારીને હે.કો. તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં સિટી એ ડિવિઝનના દેવેન્દ્રસિંહ જી. જાડેજા, સિટી બી ડિવિઝનના હરદીપસિંહ એમ. જાડેજા, એલસીબીના સુમીત એચ. શિયાર, પંચકોશી એ ડિવિઝનના જયદીપસિંહ એસ. જાડેજા, સિક્કાના લાલજીભાઈ જી. રાતડીયા, જયપાલ ડી. મેર, ધ્રોલના જતીનભાઈ ગોગરા, કાલાવડના અશ્વિન એમ. પરમાર, જામજોધપુરના મેઘરાજસિંહ જાડેજા, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના દર્શિત સીસોદીયા તથા હેડકવાર્ટરમાં ફરજ બજાવતા ચંદ્રેશ સી. પરમારને બઢતી આપતો હુકમ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh