Advertisement
Author: નોબત સમાચાર

જાહેરમાં મારામારી કરી સુલેહ શાંતિનો ભંગ કરતા બે શખ્સ સામે પોલીસે નોંધ્યો ગુન્હો

રિલાયન્સ મોલ પાસે કરતા હતા બાથંબાથીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના જી.જી. હોસ્પિટલથી ગુરૂદ્વારા સર્કલ તરફના રોડ પર ગઈરાત્રે જાહેરમાં મારામારી કરતા બે શખ્સને પોલીસે પકડી પાડી બંને સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના જી.જી. હોસ્પિટલ રોડથી ગુરૂદ્વારા સર્કલ તરફ જવાના માર્ગ પર રિલાયન્સ મોલ નજીક ગઈકાલે રાત્રે દસેક વાગ્યે રોડ પર બે શખ્સ કોઈ બાબતે બાખડ્યા પછી બથંબથી કરતા હોવાની જાણ થતાં સિટી બી ડિવિઝનની પોલીસ ટૂકડી દોડી આવી હતી.

આ સ્થળેથી નવાગામ ઘેડના બાપુનગરમાં રહેતા પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૧માં રહેતા તુષાર ચુજાભાઈ ફસીડીયા નામના બે શખ્સ મારામારી કરતા મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટક કરી સુલેહ શાંતિ ભંગ કરવા અંગે કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh