Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે દિવસીય પક્ષી ગણતરી કાર્યક્રમનો ગઈકાલથી પ્રારંભ

પક્ષી વિદે-અધિકારીઓ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના ખીજડિયા પક્ષી અભિયારણમાં ગઈકાલથી બે દિવસ માટે પક્ષી ગણતરીનો કાર્યક્રમ શરૂ થયો છે.

જામનગરના મરીન નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષક એસ. મનીશ્વર રાજાની રાહબરી હેઠળ નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક ઉદય વોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, મદદનીશ વન સંરક્ષક પ્રતીક જોષી અને મદદનીશ વન સંરક્ષક શૈલેષ ત્રિવેદીની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી અને પ્રત્યેક ટીમમાં પાંચ-પાંચ સભ્યોને જોડવામાં આવ્યા હતાં.

ગઈકાલે પ્રથમ દિવસે બપોર પછી પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે પણ આખો દિવસ પક્ષી ગણતરી ચાલી રહી છે. આ કામગીરી આજે સાંજે પૂર્ણ થશે અને અહેવાલ ગાંધીનગર મોકલાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh