Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તા. ૩૦: ધ્રોલ તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી મહત્ત્વપૂર્ણ સૂચન કર્યું છે. તેમણે ખેડૂતોને ટેકાના ભાવનો વાસ્તવિક લાભ સરળ રીતે મળી રહે તે માટે ભાવફેર યોજના અમલમાં લાવવાની માગણી કરી છે.
મગફળી સહિતના મુખ્ય ખેતીપાકોની સરકાર દ્વારા થતી ભૌતિક ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવે. તેના બદલે, ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત- એટલે કે ભાવફેર- સીધો ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવે. આ પગલાથી સરકારને ગોડાઉન, પરિવહન અને સંગ્રહ જેવી પ્રક્રિયાઓમાં થતી આશરે ૭૦૦ પ્રતિ મણ જેટલી ખોટ અટકશે. સાથે જ ડિજિટલ વ્યવસ્થા થવાથી પારદર્શિતા વધશે અને ખેડૂતોને સમયસર નાણાકીય લાભ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial