Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાતેલમાં વૃદ્ધનું પેરાલિસીસના એટેક પછી થયું મૃત્યુઃ
જામનગર તા. ૧૩: જામનગરના અશોક સમ્રાટનગરમાં એક પ્રૌઢ ગઈકાલે પોતાના ઘરે સૂતા હતા ત્યારે નાક તથા મ્હોંમાંથી લોહી નીકળ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના ભાતેલમાં છાતી તથા પેટમાં દુખાવો ઉપડ્યા પછી પેરાલિસીસનો એટેક આવતા એક વૃદ્ધ પર કાળનો પંજો પડ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા અશોક સમ્રાટનગરમાં રહેતા દિનેશભાઈ રમેશભાઈ બોંદ્રે નામના ચાલીસ વર્ષના મહારાષ્ટ્રીયન યુવાન ગઈકાલે રાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના નાક તથા મ્હોંમાંથી લોહી નીકળતું જોવા મળતા નાના ભાઈ મહેશભાઈ બોંદ્રેએ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મોડીરાત્રે દિનેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. મહેશભાઈએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં રહેતા મહિપતસિંહ ગુલાબસંગ જાડેજા નામના વૃદ્ધ ગઈ તા.પની સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતી તથા પેટમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. પેરાલિસીસનો એટેક પણ આવી ગયો હતો. મહિપતસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પુત્ર જયપાલસિંહ જાડેજાએ પોલીસને વાકેફ કરતા અપમૃત્યુ અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial