Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની ગગવાણી ફળીમા
ખંભાળિયા તા. ૯: ખંભાળિયામાં આચાર્ય કુટુંબના કુળદેવી ચામુંડા માતાજીનો હવન યોજાયો હતો, જેમાં પરિવારજનો, અગ્રણીઓ જોડાયા હતાં. તાજેતરમાં ખંભાળિયામાં ગગવાણી ફળીમાં આવેલા આચાર્ય પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનો હવન પરિવારજનો દ્વારા યોજાયો હતો.
યોગેશભાઈ આચાર્ય તથા નિશાબેન આચાર્યના મુખ્ય યજમાનપદે સવારે ૭ાા વાગ્યે યજ્ઞ શરૂ થયેલો અને બપોરે એક વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું. શાસ્ત્રોકત વિધિ તથા સ્થાપન કરીને મંત્રોની આહૂતિ તથા દુર્ગાના તેર અધ્યાયોનું પઠન તથા શક્રાદી સ્તુતી સાથે હવન પૂર્ણ થયો હતો તથા ચામુંડા માતાજીને વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવ્યો હતો.
હવન યજ્ઞમાં જામનગરથી સુરેશભાઈ આચાર્ય, સોનલ બેન આચાર્ય, ખંભાળિયાના જતિનભાઈ આચાર્ય, ભગવતીબેન આચાર્ય, હિતેન્દ્રભાઈ આચાર્ય, હિનાબેન આચાર્ય, દિપભાઈ આચાર્ય વિ. જોડાયા હતા તથા મુંબઈ, અમદાવાદ, જામનગર, કચ્છ સ્થળોએથી પણ આચાર્ય પરિવારજનો ઓનલાઈનના માધ્યમથી જોડાયા હતાં.
ખંભાળિયા ગાયત્રી ગરબા મંડળના પ્રવિણભાઈ છગ, દિલીપભાઈ કછટીયા, કિરીટભાઈ મજીઠીયા, બંટીભાઈ હર્ષ, હિતેશભાઈ હર્ષ, કેતનભાઈ ગોકાણી, નવીનભાઈ ગોકાણી પણ જોડાયા હતાં.
શરદ પૂર્ણિમાના માતાનું સ્થાપન થયું હોય પ્રત્યેક શરદ પૂર્ણિમાના દિને ચામુંડા માતાજીનો હવન કરવામાં આવે છે. જેમાં આચાર્ય પરિવારજનો મોટી સંખ્યામાં જોડાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial