Advertisement
Author: નોબત સમાચાર

રિસામણે ચાલ્યા ગયેલા પત્ની સાથે સમાધાન ન થતાં પતિની આત્મહત્યા

કલ્યાણપુરના રાવલમાં પ્રસરી અરેરાટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના એક યુવાનના પત્ની કંકાસના કારણે રિસામણે ચાલ્યા જતા પતિએ તેણીને મનાવવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ સમાધાન ન થતાં લાગી આવવાથી આ યુવાને ઝેરી ટીકડા ગળી લીધા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં વસવાટ કરતા રામભાઈ દેવાભાઈ વાઘેલા નામના સત્યાવીસ વર્ષના કોળી યુવાને શુક્રવારે સવારે કોઈ ઝેરી દવાની ગોળીઓ પી લીધી હતી તેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન રામભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ લીલાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. તેઓએ જણાવ્યા મુજબ આ યુવાનના પત્ની કોઈ કારણથી ઝઘડો થયા પછી રિસામણે ચાલ્યા ગયા હતા. તેણીને મનાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા રહેતા રામભાઈ સાથે તેમના પત્ની આવતા ન હોવાથી માઠું લાગી આવવાના કારણે આ યુવાને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh