Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાને આઠ દિવસમાં મળી ગઈ અધધ કરોડોની વસૂલાત

                                                                                                                                                                                                      

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં જામ્યુકોની જીત પછી ફટાફટ વેરો ભરવાનું શરૂ

જામનગર તા. ૩: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારનો વેરા વસૂલાત કરવાની પરવાનગી આપતો ચૂકાદો અદાલતે આપ્યા પછી વ્યાજ માફીની યોજના પછી છેલ્લા આઠ દિવસમાં જ મહાનગરપાલિકાને રૂપિયા ૧૪ કરોડની આવક થવા પામી છે.

જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-ર અને ૩ ના પ્લોટધારકો પાસેથી વેરો વસૂલવાનો મહાનગરપાલિકાએ પ્રારંભ કરતા જ અદાલતમાં ન્યાય માંગવામાં આવ્યો હતો, જ્યાં મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવતા અમુક પ્લોટ ધારકોએ વેરો ભરપાઈ કર્યો હતો, જ્યારે ૪૭ પ્લોટ ધારકોએ હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ ન્યાય માંગ્યો હતો. જ્યાં પણ તાજેતરમાં મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

આથી હવે અન્ય પણ અનેક પ્લોટ ધારકોએ મહાનગરપાલિકામાં વેરો ભરપાઈ કરવાનું શરૂ કર્યું છે. તેના કારણે તા. ૧ ના પાંચ કરોડ, તા. ર જુલાઈના સાડાચાર કરોડ અને વ્યાજમાફીની શરૂઆત તા. ર૬-૬-ર૦રપ થી શરૂ કરવામાં આવી છે. ત્યારથી એટલે કે છેલ્લા ચાર દિવસમાં ૧૪ કરોડની મહાનગરપલિકાને આવક થવા પામી છે. હવે આશરે પાંચેક કરોડની વસૂલાત બાકી છે, અને વ્યાજ માફી યોજના પણ તા. ૭-૭-ર૦રપ સુધી ચાલુ રહેનાર હોય, વધુ આવક થવાની શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh