Advertisement
Author: નોબત સમાચાર

રખડતું ભટકતું જીવન જીવતા પડધરીના વૃદ્ધનું બીમારીથી મૃત્યુઃ પોલીસ તપાસ

હડિયાણા રોડ પર અજાણ્યા યુવાનનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ધ્રોલના બસ સ્ટેન્ડ પાસે મૂળ પડધરીના અને રખડતુ ભટકતુ જીવન જીવતા વૃદ્ધનું બીમારીના કારણથી મૃત્યુ નિપજ્યું છે. બાલાચડીથી હડિયાણા વચ્ચેના રોડ પર એક ઝાડ નીચેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવાનનું મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ધ્રોલમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે પાંચેક દિવસથી રાજકોટ જિલ્લાના પડધરીમાં વસવાટ કરતા અને રખડતુ ભટકતુ જીવન જીવતા આર. મુધાયન મુર્ધન આડીતડ (ઉ.વ.૭૮) નામના વૃદ્ધ આવ્યા હતા. તેઓ બુધવારે રાત્રે બેશુદ્ધ હાલતમાં જોવા મળતા ધ્રોલની પડીયા શેરીમાં રહેતા તેજસભાઈ મુકુંદભાઈ ફીચડીયાએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં આ વૃદ્ધનું કોઈ બીમારીથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તેજસભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા બાલાચડી ગામથી હડિયાણા તરફના રસ્તા પર તળાવ નજીક બાવળના ઝાડ પાસેથી બુધવારે સાંજે ચાલીસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું બાલાચડીના જયવંતસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ જોડિયા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh