Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એસ.જાડેજા પરિવાર દ્વારા
જામનગર તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા જામનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તેમજ રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણી પ્રતાપસિંહ સિદુભા જાડેજા (પી.એસ.જાડેજા) પરિવાર દ્વારા આગામી તા. ૧-૮-૨૫ થી તા. ૯-૮-૨૫ સુધી ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામમાં આશાપુરા માતાજી મંદિરના પાવન સાંનિધ્યમાં શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાસાસને જાણીતા શિવકથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા બિરાજી કથાનું રસપાન કરાવશે. કથાનો શુભારંભ જગદ્ગુરૂ શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મચારી નારાયણ નંદજી સ્વામિના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવશે. આ કથા દરમ્યાન જામનગરના ખીજડામંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ, આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, ચત્રભૂજદાસ સ્વામી, કબીર આશ્રમના રામેશ્વરદાસજી મહારાજ, સણોસરાના નિરૂબાપુ, નવા સાંગાણાના રમજુબાપુ, ભાવનગરના અન્નપૂર્ણાબા માતાજી આશીર્વાદ આપવા પધારશે. કથા દરમ્યાન દરરોજ બપોરે ૨ વાગ્યે કથાના સ્થળે સૌ ભાવિકો માટે પ્રભુપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધીનો રહેશે.
દરરોજ સવારે ૮ થી ૯ જે ભાવિક ઘરેથી પાર્થિવ શિવલીંગ લઈને આવશે તેનું ભૂદેવો દ્વારા અભિષેક-પૂજન કરવામાં આવશે. સાંજે ૬ વાગ્યે ઉત્તરપૂજન પછી તળાવમાં વિસર્જન કરવામાં આવશે. તા. ૫-૮-૨૫ ના દેવરાજભાઈ ગઢવીનો તથા તા. ૮-૮-૨૫ ના રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે. આ ઉપરાંત વેરાડની કાનગોપી રાસ મંડળીનો કાર્યક્રમ યોજાશે. કથાનું કર્તવ્ય ટીવી ચેનલ પરથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial