Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના પ્રશ્નોને આજે કોંગ્રેસ દ્વારા શાસકોની સદ્બુદ્ધિ માટે હવન કરવામાં આવ્યો હતો. અને નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકામાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. આથી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાની આગેવાનીમાં આજે નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કર્યા પછી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની ઓફિસ પાસે હવન કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ આહૂતિ આપી હતી. કચરા ઉપાડવામાં ભાજપ તારો ભ્રષ્ટાચાર, ગેરકાયદે બાંધકામો બંધ કરો, ભય-ભ્રમ અને ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જેવા સુત્રો લખેલા પોસ્ટરો, પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં દિગુભા જાડેજા, ધવલ નંદા ઉપરાંત કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા સહિતના કોંગ્રેસી આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા હતા. આ સમયે પોલીસ ટુકડી પણ બોલાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial