Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે પોલીસ કર્મચારી સામે નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા. ૨: ખંભાળિયાના ભરાણા ગામના એક યુવાને પોલીસના મારથી વ્યથિત થઈ આત્મહત્યા કરી હતી. તેના પિતાની ફરિયાદ પરથી ભારે ખળભળાટ વચ્ચે બે પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો હતો. તે પૈકીના એક પોલીસકર્મીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં રહેતા કરણસિંહ માલજી જાડેજા નામના યુવાનને વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારી પ્રદીપસિંહ ગોહિલ, કરશનભાઈએ દારૂબંધી ભંગનો ગુન્હો નોંધી પકડી લીધો હતો. તે પછી પ્રદીપસિંહે માર મારતા પોતાના ઘરે જઈ કરણસિંહે ઝેરી દવા પી લીધી હતી.
આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. ભારે ખળભળાટ વચ્ચે મૃતકના પિતા માલજી નટુભા જાડેજાએ બંને પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પૈકીના પોલીસકર્મી કરશન રાજશીભાઈ ગોજીયાએ દ્વારકાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.
તે અરજી સામે મૂળ ફરિયાદીના વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનીતા રામવાણી તથા સરકારી વકીલ લાખાભાઈ ચાવડાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે પોલીસ કર્મચારીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial