Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શ્રમિકનું શોર્ટ લાગવાથી થયું હતું મોતઃ
જામનગર તા. ૨: જામજોધપુરના એક ખેડૂત સામે શેઢા ફરતે ફેન્સીંગમાં વીજળી વહેતી મૂકવા અને તેને અડકવાથી એક યુવાનના મૃત્યુ નિપજવા અંગે ગુન્હો નોંધાયો હતો. આ આરોપીની જામીન અરજી મંજૂર કરાઈ છે.
જામજોધ૫ુરની સાતવડા સીમમાં ખેતર ધરાવતા અશોકભાઈ બેચરભાઈ સંતોકી ઉર્ફે સીદાબાપા નામના ખેડૂતે પોતાના ખેતરના શેઢે કરેલી ફેન્સીંગમાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂક્યો હતો.
તે ફેન્સીંગને અડકી જતાં મેહુલ રામસીંગ ભુરીયા નામના શ્રમિકનું શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યું હતું. તેના પિતા રામસીંગ પાંગરાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સીદાબાપાની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદાણીયા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial