Advertisement
Author: નોબત સમાચાર

ખેતીવાડી ખાતાની એજીઆર-૪ કૃષિ સહાય કાર્યક્રમનો લાભ લેવા તાકીદ

દ્વારકા જિલ્લાના અનુ.જાતિ ખેડૂતો જોગઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: ખેતીવાડી ખાતાની એજીઆર-૪ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કૃષિ સહાય કાર્યક્રમ યોજના અંતર્ગત યોજનામાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની થાય છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા પોર્ટલમાં સુધારા-વધારા કરી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. સદર યોજના અંતર્ગત નિદર્શન ઘટક માટે અગાઉ તા. ૧૮-૬-૨૫ થી તા. ૧-૭-૨૫ (૧૪ દિવસ) સુધી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ હતું. પરંતુ ફાળવવામાં આવેલ લક્ષ્યાંક સામે એજીઆર-૪ અનુસૂચિત જાતિના ખેડૂતોની યોજના અંતર્ગત ઓછી અરજીઓ થવા પામેલ જેતી ફરીથી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. જે અન્વયે એજીઆર-૪ યોજના હેઠળ નિદર્શન ઘટકમાં ખેડૂતો માટે આઈ-ખેડૂત-૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફરીથી તા. ૧૯-૭-૨૫ થી તા. ૧૫-૯-૨૫ સુધી પુનઃ ખુલ્લું મુકવામાં આવેલ છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh