Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરમાં ઘાસ વેચવા પર પ્રતિબંધ છતાં
જામનગર તા. ૨૧: જામનગરમાં જાહેરમાં ઘાસના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં ઘાસું વેચાણ થતું હોવાથી મહાનગરપાલિકાએ ૧૨ ઘાસ વિક્રેતાઓને ત્યાંથી પાંચ ટન વધુ ઘાસનો જથ્થો કબ્જે કરી ગૌશાળામાં મોકલી આપ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુપાલન પોલીસી ની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં પશુઓને ઘરે રાખવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. અને ઘાસ વેચાણ માટે પણ લાયસન્સ લેવાનું રહે છે. જેના નિયમ ભંગ બદલ મહાનગરપાલિકા દ્વારા ઘાસ વેચનારાઓ સામે જપ્તી દંડનીય પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગત શનિવારે ૫૨૯૦ કિલો ઘાસનો જથ્થો જપ્તીમાં લીધો હતો. કુલ ૧૨ ઘાસ વિક્રેતા સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial