Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની પ્રાચીન છતાં આધુનિક ગરબીમાં રાસોત્સવની જમાવટઃ
'છોટીકાશી' જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતી સરગમ નવરાત્રિ એ પ્રાચીન છતાં આધુનિક ગરબીનું અનેરૂ ઉદાહરણ છે. તાલીમ પામેલી બાળાઓ-તુરૂણીઓ અહીં પ્રાચીન-અર્વાચીન ગરબાઓ પર રાસ રમે છે તથા સુચારૂ બેઠક વ્યવસ્થાને કારણે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આ રાસોત્સવ નિહાળે છે. નવરાત્રિ દરમિયાન પ્રતિદિન અહીં રાસની રમઝટ થાય છે અને આ રાસોત્સવ નિહાળવા મહાનુભાવો ઉપરાંત મેદની ઉમટી પડે છે. ગઈકાલે અહીં આગામી મહિનામાં રિલિઝ થનારી અર્બન ગુજરાતી ફિલ્મ 'લાલો'-શ્રીકૃષ્ણ સદા સહાયતેના મુખ્ય કલાકારો અતિથિ થયા હતાં. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર જામનગરની જ અભિનેત્રી રીવા રાચ્છ તથા શ્રૃહદ ગોસ્વામી અને કરણ જોષીએ સરગમ નવરાત્રિ નિહાળી હતી તથા પોતાની ફિલ્મ વિશે પણ સંવાદ કર્યો હતો. આ તકે 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી, અતિથિ અભિનેત્રી રીવા રાચ્છ સહિતના મહાનુભાવો તથા વિવિધ દાતાઓ અને અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. 'લાલો' ફિલ્મના કલાકારોએ નગરની સાંસ્કૃતિક ઓળખ સમાન સરગમ નવરાત્રિ નિહાળી સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial