Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરોડોની ઉચાપત કરી લેવાયાનો કરાયો છે આક્ષેપઃ
જામનગર તા. ૧૩: જામનગર નજીકના કનસુમરા ગામના ટ્રસ્ટમાં કરોડો રૂપિયાની ઉચાપત થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે ગુન્હો નોંધી કેટલાક ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી. બે આસામીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
જામનગર નજીકના ગામની હદમાં આવેલી ગ્રામ ૫ંચાયતની માલિકીની જમીનનું વર્ષાે પહેલાં સંપાદન થયું હતું અને રૂપિયા બાવીસેક કરોડ વળતર પેટે ગામના ટ્રસ્ટમાં જમા થયા હતા. તે રકમમાંથી ગામના વિકાસના કામો કરવાના હતા. તે દરમિયાન કેટલાક ટ્રસ્ટીઓએ જોગવાઈનો ગેરલાભ લઈ રૂ।.૧૬ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી નાખ્યાની ફરિયાદ કાસમ દોસમામદ ખીરાએ નોંધાવી હતી. પોલીસે ઉચાપત અંગે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
ધરપકડ પામેલા આરોપી-ટ્રસ્ટી પૈકીના અકરમ સલીમ ખીરા, વલીમામદ દોસમામદ ખીરાએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે બંને આરોપીને રૂ।.૫૦-૫૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ પૂર્વ ડીજીપી દિનેશભાઈ વિરાણી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, ડી.એ. ગોસ્વામી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial