Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા
ખંભાળીયા તા. ૧૪ઃ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખંભાળીયા પાલિકા હવે સી ગ્રેડમાંથી એ ગ્રેડની નગરપાલિકા બની ગઈ હોય, સ્વર્ણીમ ગ્રાન્ટમાં ૧૨ કરોડ અપાયા હતા. પાલિકા દ્વારા કરવેરા વસુલાતમાં ૧.૮૪ કરોડની આવક થઈ તથા પાલિકા દ્વારા શોપીંગ સેન્ટરની હરાજીમાં ૮.૫ કરોડની જંગી રકમ આવતા પાલિકાની તિજોરી હાલ ૨૩ કરોડથી છલકાઈ જવાની સ્થિતિમાં આવતા કર્મચારીઓ તથા પેન્શનરોને પણ 'હાશકારો' થયો છે.
ખંભાળીયા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા હાલ પૂરતું નાણા ભંડોળ છે ત્યારે પાલિકાને ઈમરજન્સીમાં જેસીબી ભાડે લેવા જવું પડતુ હોય તથા વીજકાપમાં પાણીકાપ થતો હોય, બે જેસીબી મશીનો તથા મોટો જનરેટર સેટ તાકીદે વસાવવા તેમણે રજૂઆત કરી છે. જેથી ચોમાસામાં પાણી ભરાવાની ઘટનામાં જેસીબી તુરંત સ્થળ પર પહોંચી શકે તથા વીજકાપ હોય તો પાણીકાપ ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial