Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: સ્થાવર મિલકતોની તબદીલીના લેખોમાં અક્ષાંસ અને રેખાંશને સીસ્ટમ મારફતે લેવા માટે સિસ્ટમમાં સુધારો કરવા અને તેમની ચકાસણી કરવા આદેશ સાથે પરિપત્ર પ્રસિદ્ધ થયો છે. નોંધણી સર નિરિક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીએ મદદનિશ અધિકારીને પત્ર પાઠવી સૂચનો બાબતે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે કે સ્થાવર મિલકતોની તબદીલીના લેખો દસ્તાવેજમાં અક્ષાંસ અને રેખાંશ ફરજીયાત દર્શાવવાની સૂચના અપાઈ છે. આ અંગે જામનગરના અજય દોઢીયાએ રજૂઆત કરી હતી કે ખેતીની જમીનના દસ્તાવેજના કિસ્સાઓમાં અક્ષાંસ-રેખાંશ મેળવવામાં મુશ્કેલી પડે છે. અમુક વિસ્તારમાં ઈન્ટરનેટ કનેકશન મળતું નથી ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તથા અક્ષાંસ-રેખાંશ સાચા છે કે ખોટા તેની કોઈ નક્કી કરવાની પ્રથા અમલમાં નથી. આથી અક્ષાંસ-રેખાંશ અત્રેની સીસ્ટમ મારફત લેવાય તે અંગે અહીંની સીસ્ટમમાં સુધારો કરવા તથા સીસ્ટમ દ્વારા લેવાયેલા અક્ષાંસ અને રેખાંશ તાબાની તમામ કચેરી દ્વારા ફરજીયાત ચકાસણી કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial