Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી રોજગાર મેળામાં રાજકોટ રેલવે ડીવીઝનમાં થઈ ઉમેદવારોને નિમણુંક પત્રો અપાયા

કેન્દ્રિયમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિ વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૧૬મા રોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો. આ સમયે ૫૧ હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીને નિમણુંક પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન નવનિયુકત કર્મચારીઓને સંબોધન પણ કર્યું હતું.

આ રોજગાર મેળામાં રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, ટપાલ, વિદ્યુત, શ્રમ સહિતના ૧૪ મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણુંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ રેલવે ડીવીઝનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડી.આર.એસ. અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમોમાં સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, અને રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, અને સ્થાનિક જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને ૯૯ નવા ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ૮૪ ઉમેદવારો રેલવેના હતા. આભારવિધિ અમૃત સોલંકીએ કરી હતી. સંચાલન શૈલેષ મકવાણા તથા ધર્મિષ્ઠા થોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh