Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના જીવાપર રોડ સ્થિત આશ્રમમાં મહંતને માર મારી લૂંટ ચલાવાઈઃ પોલીસ દોડી

ત્રણેક શખ્સ બનાવને અંજામ આપી પલાયન થયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: કાલાવડના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ ઘૂસી ગયા પછી અંદર નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી આ શખ્સો રોકડની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ દોડી ગઈ છે.

કાલાવડ નજીકના જીવાપર ગામના રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની રાત્રે કેટલાક શખ્સો ધોકા સહિતના હથિયારો સાથે ઘૂસી ગયા હતા. આ શખ્સોએ આશ્રમમાં નિદ્રાધીન મહંત રાધેશ્યામ બાપુ પર હુમલો કર્યાે હતો.

ત્યારપછી આ શખ્સોએ અંદરથી રૂપિયા પાંત્રીસેક હજાર રોકડાની લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું છે. આ બનાવની ગઈકાલે સવારે આશ્રમના અનુયાયીઓને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી આવેલી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ત્રણેક જેટલા શખ્સો ધોકા, સળીયા વગેરે સાથે ચઢી આવ્યા હતા. તેઓએ મહંતને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી અને રૂપિયા પાંસઠેક હજારની રોકડની લૂંટ ચલાવી હતી. આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh