Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરકંકાસના કારણે ગયા મંગળવારે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૭: ઓખાના મારૂતીનગરમાં ગયા મંગળવારે સાસુના ઘેર ધસી આવેલા જમાઈએ પોતાના શરીર પર દીવાસળી ચાંપ્યા પછી પત્નીને બાથ ભરી લીધી હતી. પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા તે યુવતીના માતા પણ દાઝયા હતા. ત્રણેય વ્યક્તિ જામનગર સારવારમાં ખસેડાયા પછી ગઈકાલે યુવકનું મૃત્યુ નિપજ્યું છે. ઘરકંકાસના કારણે ઉપરોક્ત બનાવ બન્યાનું બહાર આવ્યું છે.
ઓખામાં આવેલી કાર્બન સોસાયટીમાં રહેતા જય સુરેશભાઈ બારીયા (ઉ.વ.ર૧) નામના યુવાને ત્રણેક મહિના પહેલાં ઉર્મિલાબેન વિરજીભાઈ ચૌહાણ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તે પછી બંને વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં ઉર્મિલાબેન પોતાના માતા મીનાબેનના ઘેર મારૂતી નગરમાં ચાલી આવ્યા હતા.
આ બાબત નહીં ગમતા ગયા મંગળવારે બપોરે જય બારીયા તેણીના ઘેર પહોંચ્યો હતો જ્યાં જઈ તેણે બોલાચાલી કર્યા પછી પોતાના શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપ્યા પછી ઉર્મિલાબેનને બાથ ભરી લીધી હતી. તેથી ઉર્મિલાબેન પણ સળગવા માંડ્યા હતા.
ઉપરોક્ત દૃશ્ય નિહાળી મીનાબેન વિરજીભાઈ પુત્રીને છોડાવવા માટે દોડી આવતા તેઓ પણ દાઝી ગયા હતા. ત્રણેય વ્યક્તિને સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી સારવાર દરમિયાન ગઈકાલે જય સુરેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા સુરેશભાઈ વનાભાઈ બારીયાએ પોલીસને જાણ કરી છે. ઓખાના પીએસઆઈ આર.આર. ઝરૂએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial