Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂદ્વારા સર્કલ પાસે અકસ્માતમાં દંપતી ઘવાયું:
જામનગર તા. ૨૮: જામનગર શહેરના રણમલ તળાવના ગેઈટ નં.ર પાસે ગઈકાલે રાત્રે બે સ્કૂટર ટકરાઈ પડતા દંપતીને ઈજા થઈ છે. જેમાં પ્રૌઢને બે ફ્રેક્ચર થઈ ગયા છે.જ્યારે ગુરૂદ્વારા સર્કલ પાસે શનિવારે સવારે બે બાઈક અથડાઈ પડતા દંપતી ઘવાયું છે.
જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા ઝંખનાબેન સંજયભાઈ વઢીયાર તથા તેમના પતિ સંજયભાઈ પરમાણંદભાઈ ગઢીયા ગઈકાલે રાત્રે રણમલ તળાવના બે નંબરના ગેઈટ પાસેથી જીજે-૧૦-સીએલ ૬૪૭૮ નંબરના સ્કૂટરમાં જતા હતા ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે-૧૦-ઈબી ૪૩૯૧ નંબરના બર્ગમેન સ્કૂટરના ચાલકે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં સંજયભાઈને પાંસળીમાં બે ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે ઝંખનાબેનને ઈજા થઈ છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના નાગનાથ નાકા નજીક આવેલા મહેશ્વરી નગરમાં રહેતા હિતેશભાઈ હિરજીભાઈ ચાવડા તથા તેમના પત્ની નિમુબેન શનિવારે સવારે ગુરૂદ્વારા ચોકડીથી લાલ બંગલા તરફ જતા હતા. ત્યારે રસ્તામાં તેઓના જીજે-૧૦ એઆર ૧૨૧૫ નંબરના મોટર સાયકલની સાથે જીજે-૧૦ ડીએચ ૨૯૦૩ નંબરનું મોટર સાયકલ અથડાઈ પડતા આ દંપતી રોડ પર પછડાયું હતું.
આ અકસ્માતમાં નીમુબેનને સામાન્ય ઈજા થતાં ે હિતેશભાઈને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial