Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દરબારગઢ સર્કલનો વિકાસ કરવા કમિશ્નરને રજૂઆત

સ્થાનિક કોર્પોરેટરો દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં દરબારવઢ સર્કલ ખંઢેર હાલતમાં છે, અને ત્યાં જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે. આથી ત્યાં વિકાસ કાર્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

દરબારગઢના ત્રણ નાકાનું રિનોવેશન કરી, કલર કરી, લાઈટીંગ વ્વસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી ગંદકી દૂર થતા સ્થાનિક લોકો ખુશ થયા હતાં.

દરબારગઢ સર્કલમાં જામસાહેબની પ્રતિમા હતી જેને ત્યાંથી તળાવની પાળે લઈ જવામાં આવી હતી, પરંતુ હાલ આ સર્કલમાં ગંદકીના ગંજ ખડકાયા છે. ઝાડી-ઝાખરા ઉગી નીકળ્યા છે. લોકો નકામો સામાન અહિં ફેંકી જાય છે.

શહેરમાં ચાંદીબજાર, ડીકેવી, ટાઉનહોલ, સાત રસ્તા સર્કલનો વિકાસ કરવામાં આવ્યો છે. તેમ દરબારગઢ સર્કલનો પણ વિકાસ કરવો જોઈએ. અહિં રિનોવેશન કરીને ફૂલઝાડનું વાવેતર કરવું જોઈએ.

આ બાબતે અગાઉ સામાન્ય સભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી સત્વરે દરબારગઢ સર્કલનો વિકાસ કરવામાં આવે અન્યથા આંદોલન કરવાની ફરજ પડે તેવી ચિમકી સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજી અને જેનબબેન ખફી તથા ફેમીદાબેન જુણેજાએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh